Translate

Friday, 28 June 2013

શ્રદ્ધા ***મહેન્દ્ર જોષી

જીવનમૂડીમાં બચી હતી માત્ર શ્રદ્ધા
જે તેઓને લઇ ગઈ
નદીઓના પવિત્ર જળ પાસે
પહાડ પર બિરાજતા દુરાધ્ય
શિવજી પાસે
ફરફરતી ધજા અને ઘંટનાદ વચ્ચે
રુદ્રના ચરણ પાસે મસ્તક ટેકવ્યું
કહ્યું ,મનોમન
'હાશ ,ભવ તરી ગયા !'
આવીને ધરતીમાંને ખોળે  આકાશ નીચે સુઈ ગયા
હા ,સુઈ ગયા કાયમ માટે
પુણ્યનું ભાથું
પેઢીઓ માટે બાંધી ....

પણ
નદીઓમાં .વનરાજીઓમાં
પહાડોમાં આકાશમાં
એક સનાતન પ્રશ્ન
પડઘાઈ રહ્યો
'પહાડના કલંકિત પાપીઓ
કેમ બચી જતા હોય છે
રુદ્રના તાંડવમાં ....?
...................................................






નદીઓમાં 

No comments:

Post a Comment