મિત્રો ,
પ્રતિવર્ષ આવતા બે રાષ્ટ્રીય તહેવારો આપણે હવે કર્મકાંડથી ઉજવીએ છીએ.આપણો દેશ આપણા માટે હવે છેલ્લી પસંદગીનો રહ્યો હોય એ હદે આપણે સ્વકેન્દ્રી અને આપ મતલબી થતા જઈએ છીએ. બીજાનું જે થાય તે આપણું તો થવું જ જોઈએ એવી એક વ્યાપક સંકુચિત હિન લાગણી પ્રવર્તી રહી છે ચોમેર .સામાન્ય માણસથી માંડી વગદાર વ્યક્તિ સુધી .આ એક સર્વનાશક રોગ જ છે !આપણે બધાં જ એના ઉપાય જાણીએ છીએ છતાં કંઇ જ કરતા નથી ,અરે વ્યક્તિગત રીતે થઇ શકે તે પણ નહિ !શું કહેવું આપણી રાષ્ટ્રીયતાને અને શું કહેવું વારે તહેવારે પ્રગટતા આપણા દેશપ્રેમને? આપણે બોલવામાં ,લખવામાં અને ચર્ચા કરવામાં કે દંભ કરવામાં શૂરા છીએ એટલે કે દંભી છીએ .આપણે પદ,પ્રતિષ્ઠા ,ધન કે સત્તા મેળવવા બધું જ કરીએ છીએ .થાય તેટલું જુઠ્ઠું અને ખોટું કરવા નીચલી હદે ઉતરી જઈએ છીએ અને લોકનજરે જાણે સ્વચ્છ ચારિત્રવાનની છબી નિવેદનો દ્વારા પ્રગટ કરતા રહીએ છીએ .આથી વધારે ભારતીયતાનું અને એક પ્રજા તરીકેનું વધુ પતન શું હોઈ શકે ? મિથ્યા ગૌરવ લઈએ છીએ ,ખરેખર મહાન થઇ ગયા ,શહીદી વહોરી લીધી તેવા નેતાઓના નામ આપણી ગરજે વટાવ્યા કરીએ છે .શું આવા લોકો પ્રજા જીવનનો ઉદ્ધાર કરી શકે ?ભાષણોમાં શહીદોના બલિદાનોને બિરદાવીએ છીએ પણ આપણે કેટલું બલિદાન આપ્યું આ ભારત માતા માટે ? ..શૂન્ય ....માત્ર સત્તા હાંસિલ કરી ધન ઉપાર્જન ,તે પણ કેટલું ...પેઢીઓ લગ ....ધિક્કાર છે આ દેશપ્રેમને વટાવતાં સ્વાર્થી માનસને !...ઉચ્ચ પદે બેઠેલા ખોટું કરશે એટલે નાના માણસો આ બધું કરશે જ અને એક વ્યાપક વિષ જાળ ફેલાઈ જાય.... કવિશ્રી ઉમાશંકર જોશી કેવો વેધક પ્રશ્ન પૂછે છે આપણને ...'દેશ તો આઝાદ થાતા થઇ ગયો ,તેં શું કર્યું?"
આપણે સામાન્ય માણસ મોટી અને ભ્રામક વાતોમાં ન ફસાય અને જો આટલું કરીને અમલમાં મૂકીએ તો પણ એક નાની સરખી દેશસેવા જ છે ..... આપણી રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાર્થક છે ...
(૧) જે ગામ,નગર શહેર કે મહાનગરમાં વસીએ છીએ ત્યાં એક ભારતીય નાગરિક તરીકે કેમ વર્તીએ છીએ ?
(૨) ઘર આંગણું,શેરી ,રસ્તાઓ ,અને જાહેર સ્થળો,બાગબગીચા જવાબદારીપૂર્વક ચોખ્ખા રાખીએ છીએ ?
(૩) દુર્લભ થતાં ઉર્જાના સ્રોતો ,મીઠું પાણી ,વીજળી ,ગેસ .પેટ્રોલ,ડીઝલ,જમીન ,અનાજ ,ખનીજો અને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ વિવેકપૂર્વક અને કરકસરથી વાપરીએ છીએ?
(૪) વધતી જતી વસ્તી વચ્ચે વાહનોની સંખ્યા પણ સમસ્યા બનતી જાય છે ...ત્યારે રસ્તા ઉપર કે શેરીમાં કોઈને નડેનહિ તેમ પાર્કિંગ કરીએ છીએ ?જો આપણે વાહન પર ભગવાનના નામ લખીએ છીએ પણ એજ
વાહન રસ્તા વચ્ચે બધાંને નડે તેમ હોય તો તે દેશપ્રેમ કહેવાય કે ધર્મપ્રેમ કહેવાય?ધર્મપ્રેમી તરીકે ગૌરવ લઇ ફરીએ છીએ પણ દેશપ્રેમ? નાગરિકતા?વાહન ચલાવતી વખતે ચાલી જતી વ્યક્તિનું
કે તેને ઈજા ન પહોંચે તેવું ધ્યાન રાખીએ છે ?વિના કારણ હોર્ન વગાડી કોઈને ગભરાવવા તે દેશપ્રેમ છે ?
(૫) વ્યવસાય અર્થે કે અન્ય કોઈ રીતે નાગરિકની સુવિધા ફૂટ પાથ પર કે અન્ય જગા એ દબાણ કરી ટ્રાફિક સમસ્યા ઊભી કરી સમાન્ય માણસને મુશ્કેલીમાં મૂકી દઈએ છીએ ખરા?તો પણ આ દેશપ્રેમ નથી!
(૬) જાહેર સ્થળો પર ટ્રાફિકને અડચણ પડે તેમ ધાર્મિક સ્થાનો ઊભા કરી લેતા હોય તે ધર્મપ્રેમ કે દેશપ્રેમ છે ખરા?
(૭)મહાન ભારત ,ભવ્ય ભારત સાંસ્કૃતિક ભારત એવું રોજ રોજ સુત્ર ઉચ્ચારીએ છીએ ત્યારે આપણે આપણા હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક અને પુરાતત્વીય સ્થાનોની સંભાળ રાખીએ છે ખરા?સરકાર સિવાય આપણી હજારો વર્ષની જૂની સંસ્કૃતિનું સંરક્ષણ કરવાની આપણી પ્રજા તરીકે ભારતીય તરીકે કોઈ ફરજ ખરી/તેનું વિધ્વંશ થતું અટકાવીએ તો પણ ઘણું!
(૮) લાખો માણસો રસ્તા ઉપર ,હોટેલોમાં અખાદ્ય અને ભેળ સેળ યુક્ત ગમે તેવું વગર વિચાર્યે એક યા બીજા કારણસર ખાઈ લે છે અને ભયંકર રોગને નોતરી દવામાં અને સારવારમાં પૈસા ખર્ચે છે તે વ્યક્તીગત રીતે હાનીકારક છે જ પણ પેલા ભેળ સેળ કરનારાઓની ભારતીયતા અને દેશપ્રેમનું શું ?
(૯) કેટલાંક કામ ઓફિસમાં ફરજ્પૂર્વક પગાર મેળવીને કર્મચારીઓએ કરવાના હોય છે ,તે કામ નિશૂલ્ક હોય તો એના માટે લાંચરૂપે કરી આપે અને આપણે મજબૂરીથી આપીએ પણ ખરા શું આ દેશપ્રેમ છે ?સરકારી કે સ્વૈચ્છિક સંસ્થા પ્રચાર કરે છે છતાં પણ...
(૧૦) .મારું માનવું છે લોક શાહી ટકાવવી હોય તો આ નાના કામો સામાન્ય માણસ માટે મોટા છે જો આટલું પણ આજની પરિસ્થિતિમાં કરી શકીએ તો પણ મોટી સેવા જ્ છે ..ધર્મ પ્રેમ છે ...કોઈ મંદિર મસ્જીદ મઠ થાનકો કે આશ્રમોમાં જવાની જરૂર નથી .કોઈ સભા સરઘસ કે કોઈના હાથા બનવાની જરૂર નથી ..આ વ્યક્તિગત મંતવ્યો છે પણ બહુ કામના છે ..દેશને મહાન જોવાની ઝંખના હોય તો આટલું કરી શકી તો પણ ઘણું.....દેશની ટીકા કરવાથી કે નેતાઓનો ટીકા કરવાથી કંઇ જ વળવાનું નથી એક નાગરિક તરીકે આપણી પણ ફરજ અને દરકાર હોવી ઘટે .... શું આપણે આ દેશમાં રહેતા નથી? તોજ ગીત ગાવાનો આપણને અધિકાર છે 'સારે જહાંસે અચ્છા હિન્દોસ્તા હમારા '...અસ્તુ ભારત માતા ની જય ..વંદે માતરમ ...
પ્રતિવર્ષ આવતા બે રાષ્ટ્રીય તહેવારો આપણે હવે કર્મકાંડથી ઉજવીએ છીએ.આપણો દેશ આપણા માટે હવે છેલ્લી પસંદગીનો રહ્યો હોય એ હદે આપણે સ્વકેન્દ્રી અને આપ મતલબી થતા જઈએ છીએ. બીજાનું જે થાય તે આપણું તો થવું જ જોઈએ એવી એક વ્યાપક સંકુચિત હિન લાગણી પ્રવર્તી રહી છે ચોમેર .સામાન્ય માણસથી માંડી વગદાર વ્યક્તિ સુધી .આ એક સર્વનાશક રોગ જ છે !આપણે બધાં જ એના ઉપાય જાણીએ છીએ છતાં કંઇ જ કરતા નથી ,અરે વ્યક્તિગત રીતે થઇ શકે તે પણ નહિ !શું કહેવું આપણી રાષ્ટ્રીયતાને અને શું કહેવું વારે તહેવારે પ્રગટતા આપણા દેશપ્રેમને? આપણે બોલવામાં ,લખવામાં અને ચર્ચા કરવામાં કે દંભ કરવામાં શૂરા છીએ એટલે કે દંભી છીએ .આપણે પદ,પ્રતિષ્ઠા ,ધન કે સત્તા મેળવવા બધું જ કરીએ છીએ .થાય તેટલું જુઠ્ઠું અને ખોટું કરવા નીચલી હદે ઉતરી જઈએ છીએ અને લોકનજરે જાણે સ્વચ્છ ચારિત્રવાનની છબી નિવેદનો દ્વારા પ્રગટ કરતા રહીએ છીએ .આથી વધારે ભારતીયતાનું અને એક પ્રજા તરીકેનું વધુ પતન શું હોઈ શકે ? મિથ્યા ગૌરવ લઈએ છીએ ,ખરેખર મહાન થઇ ગયા ,શહીદી વહોરી લીધી તેવા નેતાઓના નામ આપણી ગરજે વટાવ્યા કરીએ છે .શું આવા લોકો પ્રજા જીવનનો ઉદ્ધાર કરી શકે ?ભાષણોમાં શહીદોના બલિદાનોને બિરદાવીએ છીએ પણ આપણે કેટલું બલિદાન આપ્યું આ ભારત માતા માટે ? ..શૂન્ય ....માત્ર સત્તા હાંસિલ કરી ધન ઉપાર્જન ,તે પણ કેટલું ...પેઢીઓ લગ ....ધિક્કાર છે આ દેશપ્રેમને વટાવતાં સ્વાર્થી માનસને !...ઉચ્ચ પદે બેઠેલા ખોટું કરશે એટલે નાના માણસો આ બધું કરશે જ અને એક વ્યાપક વિષ જાળ ફેલાઈ જાય.... કવિશ્રી ઉમાશંકર જોશી કેવો વેધક પ્રશ્ન પૂછે છે આપણને ...'દેશ તો આઝાદ થાતા થઇ ગયો ,તેં શું કર્યું?"
આપણે સામાન્ય માણસ મોટી અને ભ્રામક વાતોમાં ન ફસાય અને જો આટલું કરીને અમલમાં મૂકીએ તો પણ એક નાની સરખી દેશસેવા જ છે ..... આપણી રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાર્થક છે ...
(૧) જે ગામ,નગર શહેર કે મહાનગરમાં વસીએ છીએ ત્યાં એક ભારતીય નાગરિક તરીકે કેમ વર્તીએ છીએ ?
(૨) ઘર આંગણું,શેરી ,રસ્તાઓ ,અને જાહેર સ્થળો,બાગબગીચા જવાબદારીપૂર્વક ચોખ્ખા રાખીએ છીએ ?
(૩) દુર્લભ થતાં ઉર્જાના સ્રોતો ,મીઠું પાણી ,વીજળી ,ગેસ .પેટ્રોલ,ડીઝલ,જમીન ,અનાજ ,ખનીજો અને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ વિવેકપૂર્વક અને કરકસરથી વાપરીએ છીએ?
(૪) વધતી જતી વસ્તી વચ્ચે વાહનોની સંખ્યા પણ સમસ્યા બનતી જાય છે ...ત્યારે રસ્તા ઉપર કે શેરીમાં કોઈને નડેનહિ તેમ પાર્કિંગ કરીએ છીએ ?જો આપણે વાહન પર ભગવાનના નામ લખીએ છીએ પણ એજ
વાહન રસ્તા વચ્ચે બધાંને નડે તેમ હોય તો તે દેશપ્રેમ કહેવાય કે ધર્મપ્રેમ કહેવાય?ધર્મપ્રેમી તરીકે ગૌરવ લઇ ફરીએ છીએ પણ દેશપ્રેમ? નાગરિકતા?વાહન ચલાવતી વખતે ચાલી જતી વ્યક્તિનું
કે તેને ઈજા ન પહોંચે તેવું ધ્યાન રાખીએ છે ?વિના કારણ હોર્ન વગાડી કોઈને ગભરાવવા તે દેશપ્રેમ છે ?
(૫) વ્યવસાય અર્થે કે અન્ય કોઈ રીતે નાગરિકની સુવિધા ફૂટ પાથ પર કે અન્ય જગા એ દબાણ કરી ટ્રાફિક સમસ્યા ઊભી કરી સમાન્ય માણસને મુશ્કેલીમાં મૂકી દઈએ છીએ ખરા?તો પણ આ દેશપ્રેમ નથી!
(૬) જાહેર સ્થળો પર ટ્રાફિકને અડચણ પડે તેમ ધાર્મિક સ્થાનો ઊભા કરી લેતા હોય તે ધર્મપ્રેમ કે દેશપ્રેમ છે ખરા?
(૭)મહાન ભારત ,ભવ્ય ભારત સાંસ્કૃતિક ભારત એવું રોજ રોજ સુત્ર ઉચ્ચારીએ છીએ ત્યારે આપણે આપણા હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક અને પુરાતત્વીય સ્થાનોની સંભાળ રાખીએ છે ખરા?સરકાર સિવાય આપણી હજારો વર્ષની જૂની સંસ્કૃતિનું સંરક્ષણ કરવાની આપણી પ્રજા તરીકે ભારતીય તરીકે કોઈ ફરજ ખરી/તેનું વિધ્વંશ થતું અટકાવીએ તો પણ ઘણું!
(૮) લાખો માણસો રસ્તા ઉપર ,હોટેલોમાં અખાદ્ય અને ભેળ સેળ યુક્ત ગમે તેવું વગર વિચાર્યે એક યા બીજા કારણસર ખાઈ લે છે અને ભયંકર રોગને નોતરી દવામાં અને સારવારમાં પૈસા ખર્ચે છે તે વ્યક્તીગત રીતે હાનીકારક છે જ પણ પેલા ભેળ સેળ કરનારાઓની ભારતીયતા અને દેશપ્રેમનું શું ?
(૯) કેટલાંક કામ ઓફિસમાં ફરજ્પૂર્વક પગાર મેળવીને કર્મચારીઓએ કરવાના હોય છે ,તે કામ નિશૂલ્ક હોય તો એના માટે લાંચરૂપે કરી આપે અને આપણે મજબૂરીથી આપીએ પણ ખરા શું આ દેશપ્રેમ છે ?સરકારી કે સ્વૈચ્છિક સંસ્થા પ્રચાર કરે છે છતાં પણ...
(૧૦) .મારું માનવું છે લોક શાહી ટકાવવી હોય તો આ નાના કામો સામાન્ય માણસ માટે મોટા છે જો આટલું પણ આજની પરિસ્થિતિમાં કરી શકીએ તો પણ મોટી સેવા જ્ છે ..ધર્મ પ્રેમ છે ...કોઈ મંદિર મસ્જીદ મઠ થાનકો કે આશ્રમોમાં જવાની જરૂર નથી .કોઈ સભા સરઘસ કે કોઈના હાથા બનવાની જરૂર નથી ..આ વ્યક્તિગત મંતવ્યો છે પણ બહુ કામના છે ..દેશને મહાન જોવાની ઝંખના હોય તો આટલું કરી શકી તો પણ ઘણું.....દેશની ટીકા કરવાથી કે નેતાઓનો ટીકા કરવાથી કંઇ જ વળવાનું નથી એક નાગરિક તરીકે આપણી પણ ફરજ અને દરકાર હોવી ઘટે .... શું આપણે આ દેશમાં રહેતા નથી? તોજ ગીત ગાવાનો આપણને અધિકાર છે 'સારે જહાંસે અચ્છા હિન્દોસ્તા હમારા '...અસ્તુ ભારત માતા ની જય ..વંદે માતરમ ...