કવિતા અને હું ***કવિ કેફિયત ***મહેન્દ્ર જોષી
શૂન્યમાંથી શબ્દ સર્જાવાની અકળ મથામણ ***પ્રકાશિત લેખ શબ્દસૃષ્ટિ નવેમ્બર ૨૦૧૧
ભાગ -૩
એસ.એસ.સી. પાસ થઇ વિજ્ઞાન પ્રવાહમાં ગયો.સંજોગવશાત મેડીકલમાં ન જવાયું .ત્રણ ચાર વર્ષ એમ જ વીતી ગયા .ગ્રેજ્ય્યુંએટ થઇ ૧૯૭૧ માં કવિશ્રી જયંત આચાર્યની નામાંકિત શાળા વિરાણી હાઈ સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનનું અધ્યાપન સ્વીકારી લીધું.શાળાનું ગ્રંથાલય અત્યંત સમૃદ્ધ .અહિ જ મને 'સરસ્વતીચંદ્ર'ના સર્જક'ગોમાંત્રી' થી શરૂ થઇ વીનેશ અંતાણી મળ્યા.પ્રેમાનંદ-અખાથી શરૂ થઇ રાવજી ,ર.પા.;આદિલ ,અનિલ ,અને મનોજ ખંડેરિયા મળ્યા .શેક્ષ્પીયરથી શરૂ થઇ એલીયેટ મળ્યા .ત્રણ ચાર વર્ષથી છૂટી ગયેલી શબ્દપ્રીતિ જાગી ગઈ .ફુરસદે વંચાતા રહ્યાં .શબ્દરસ ઘૂંટાતો રહ્યો ભીતરની ખરલમાં .શાળા ગ્રંથાલયમાં નિયમિત આવતા સાહિત્યિક સામયિકોના સંપર્ક થી સાહિત્યના ખાસ કરીને કવિતાના સાંપ્રત પ્રવાહોથી જ્ઞાત થતો રહ્યો.ક્યારેક એકાંતમાં કાવ્યસર્જન થતું રહેતું.ઘણા નવોદિત સર્જકો તેઓના પ્રારંભ કાળે પુરોગામી સર્જકોના પ્રભાવ તળે આવી કાવ્યસર્જન માટે પ્રવૃત્ત થતા હોય છે . હું પણ ૧૯૭૨ થી ૧૯૭૫ ના ગાળા માં મુગ્ધ હતો. ૧૯૭૩ માં સુ.દ.ના કવિતા દ્વિમાસિક માં સૌ પ્રથમ એક કાવ્ય પ્રગટ થયું .એ પછી મુંબઈથી પ્રસિદ્ધ થાતા લઘુ સામાયિક 'કૃ' માં (તંત્રી:સુરેશ બારીયા ) પણ કાવ્ય પ્રસિદ્ધ થયું.સ્વહસ્તાક્ષર માં લખયેલ કાવ્યને મુદ્રિત રૂપે જોવાનો રોમાંચ મિત્રો સાથે રહેતો .કશુક સર્જ્યાનો આનંદાનુભવ રહેતો.આ જ સમય ગાળામાં અન્ય કવિમિત્રો સાથે અનિયતકાલીન લઘુસમાંયિક 'ફૂંક'નું પ્રકાશન કાર્ય કરતા રહ્યાં. ય્તરે બીજા ઘણા લઘુ સામયિક પ્રકાશિત થતા હતા .ફેશનપરસ્ત ,નવોન્મેષીઅને વિદ્રોહી પણ .ત્યારના નવોદિત અને આજના પ્રસ્થાપિત કવિઓની રચનાઓ તેમાં પ્રસિદ્ધ થતી .આજે એ બધાં કવિતાની પ્રથમ પાઠ શાળા જેવા લાગે છે .સાથે સાથે સમાંતરે કવિ સંમેલનો ,સાહિત્યિક વ્યાખ્યાનો ,અતિથિ સાહિત્યકારો સાથે સંગોષ્ઠી વગેરે પ્રવૃત્તિઓ રસપ્રદ રહેતી.૧૯૭૩-૭૪ માં બુધસભ જેવી 'સુ-રંગ'નામની સાપ્તાહિક બેઠક લેંગ લાઈબ્રેરીમાં કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના અધ્યક્ષપદે શરૂ થઇ.પીઢ નામી અનામી ,લવરમૂછિયા યુવા કવિઓ આવતા , કવિતા પઠન કરતા .કેટલાક કવિઓની રજૂઆત માંથી કાવ્યપઠન કરતા અને કવિ પદની દીક્ષા લેતા .'કવિતા કાનની કળા'એવું અનુભવાતું.શબ્દનું વજન ,ઉચ્ચારશુદ્ધિ અને લય-છંદ પરત્વે વધુ સભાન્થાવાની આવશ્યકતા જણાતી .
૧૯૭૫-૭૬ અને તે પછીના સમય ગાળામાં ગીતો,ગઝલો અને અછાંદસ સર્જન થતું રહ્યું.થોડીક વધુ કાવ્ય્સમજ અને કવિ કર્મની સભાનતા સાથે અન્ય સર્જકોના પ્રભાવમાંથી સ્વકીય મુદ્રા ઉપસાવવા નિજી ભાષા શૈલી નીપજાવવા મથામણ થઇ ચૂકી હતી.'શબ્દ'ને વફાદાર રહેવાની નેમ સાથે .આ બધાં પડકારો ગણી શકાય.સુ.જો. જેવા આધુનિકઅને ર.પા. જેવા ભાષા ઉપર સોળે કળાએ ખીલેલા સર્જકનો સર્જન દ્વારા સામનો કરવો એ દરેક નવોદિત માટે પડકાર જ હતો.
વર્ષ ૧૯૭૫-૭૬ માં એક ગીત સર્જાયું.તેનો એક આંતરો અવતરિત કરુ 'હો હો કરતુ લાગણીઓનું ટોળું નીકળે કાંઠે
આભ લટકતું ઊંધે માથે બોલો કોના માટે ?
મોજાંઓ પણ મીંઢા લાગે મીંઢી લાગે જાત
દરિયા જેવું કૈ હવે નહિ દરિયો ઝંઝાવાત '
આ ગીત ૧૯૭૬માં કલકત્તાથી પ્રસિદ્ધ થાતા વાર્ષિક ચયન 'કાવ્ય્કેસુડા 'માં નિરંજન ભગતના સંપાદન તળે પ્રસિદ્ધ થયું.સાહિત્યિક મૂલ્યની પ્રથમ સ્વીકૃતિ મળી .સર્જાતા ગીતો ,ગઝલો અને અછાંદસ કૃતિઓ શિષ્ટ સામયિકો જેવા કે કવિતા ,કવિલોક,શબ્દસૃષ્ટિ ,પરબ,અખંડઆનંદ ,તાદર્થ્ય અને અન્ય લઘુ સામયિકોમાં પ્રગટતી રહેતી.વાર્ષિક સંપાદનોમાં પણ કૃતિઓ સંચિત થતી રહી.રાજકોટમાં વિદ્વાન સાહિત્યકારોના વ્યાખ્યાનો યોજાતા રહેતા .ઉમાશંકર જોષી ,સુરેશ જોષી,લાભશંકર ઠાકર ,રઘુવીર ચૌધરી ,ભોળાભાઈ પટેલ અને સિતાંશુ યશશ્ચન્દ્ર વગેર આવતા .આ બધાં સર્જકોદ્વારા મારી સાહિત્યિક સમજ વધુ વિકસતી રહી.જે સર્જનને ઉપકારક રહી .ગુજરાત સાહિત્ય અકાદમી ની આર્થિક સહાય યોજના તળે ૧૯૮૫માં મારો પ્રથમ કાવ્યસંગ્રહ 'તંદ્રા'પ્રકશિત થયો. જેમાં ગીતો,ગઝલો અને અછાંદસ કૃતિઓનો સમાવેશ કર્યો છે .'તંદ્રા' ના પ્રકાશન સમયે મારી સર્જનપ્રક્રિયા વિશેની ટૂંકી કેફિયત આપી છે .જે આંશિક રીતે અહિ અવતરિત કરું છું .જે લેખના ભાગ રૂપે છે ....(ક્રમશ:)ભાગ -૪ હવે પછી
શૂન્યમાંથી શબ્દ સર્જાવાની અકળ મથામણ ***પ્રકાશિત લેખ શબ્દસૃષ્ટિ નવેમ્બર ૨૦૧૧
ભાગ -૩
એસ.એસ.સી. પાસ થઇ વિજ્ઞાન પ્રવાહમાં ગયો.સંજોગવશાત મેડીકલમાં ન જવાયું .ત્રણ ચાર વર્ષ એમ જ વીતી ગયા .ગ્રેજ્ય્યુંએટ થઇ ૧૯૭૧ માં કવિશ્રી જયંત આચાર્યની નામાંકિત શાળા વિરાણી હાઈ સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનનું અધ્યાપન સ્વીકારી લીધું.શાળાનું ગ્રંથાલય અત્યંત સમૃદ્ધ .અહિ જ મને 'સરસ્વતીચંદ્ર'ના સર્જક'ગોમાંત્રી' થી શરૂ થઇ વીનેશ અંતાણી મળ્યા.પ્રેમાનંદ-અખાથી શરૂ થઇ રાવજી ,ર.પા.;આદિલ ,અનિલ ,અને મનોજ ખંડેરિયા મળ્યા .શેક્ષ્પીયરથી શરૂ થઇ એલીયેટ મળ્યા .ત્રણ ચાર વર્ષથી છૂટી ગયેલી શબ્દપ્રીતિ જાગી ગઈ .ફુરસદે વંચાતા રહ્યાં .શબ્દરસ ઘૂંટાતો રહ્યો ભીતરની ખરલમાં .શાળા ગ્રંથાલયમાં નિયમિત આવતા સાહિત્યિક સામયિકોના સંપર્ક થી સાહિત્યના ખાસ કરીને કવિતાના સાંપ્રત પ્રવાહોથી જ્ઞાત થતો રહ્યો.ક્યારેક એકાંતમાં કાવ્યસર્જન થતું રહેતું.ઘણા નવોદિત સર્જકો તેઓના પ્રારંભ કાળે પુરોગામી સર્જકોના પ્રભાવ તળે આવી કાવ્યસર્જન માટે પ્રવૃત્ત થતા હોય છે . હું પણ ૧૯૭૨ થી ૧૯૭૫ ના ગાળા માં મુગ્ધ હતો. ૧૯૭૩ માં સુ.દ.ના કવિતા દ્વિમાસિક માં સૌ પ્રથમ એક કાવ્ય પ્રગટ થયું .એ પછી મુંબઈથી પ્રસિદ્ધ થાતા લઘુ સામાયિક 'કૃ' માં (તંત્રી:સુરેશ બારીયા ) પણ કાવ્ય પ્રસિદ્ધ થયું.સ્વહસ્તાક્ષર માં લખયેલ કાવ્યને મુદ્રિત રૂપે જોવાનો રોમાંચ મિત્રો સાથે રહેતો .કશુક સર્જ્યાનો આનંદાનુભવ રહેતો.આ જ સમય ગાળામાં અન્ય કવિમિત્રો સાથે અનિયતકાલીન લઘુસમાંયિક 'ફૂંક'નું પ્રકાશન કાર્ય કરતા રહ્યાં. ય્તરે બીજા ઘણા લઘુ સામયિક પ્રકાશિત થતા હતા .ફેશનપરસ્ત ,નવોન્મેષીઅને વિદ્રોહી પણ .ત્યારના નવોદિત અને આજના પ્રસ્થાપિત કવિઓની રચનાઓ તેમાં પ્રસિદ્ધ થતી .આજે એ બધાં કવિતાની પ્રથમ પાઠ શાળા જેવા લાગે છે .સાથે સાથે સમાંતરે કવિ સંમેલનો ,સાહિત્યિક વ્યાખ્યાનો ,અતિથિ સાહિત્યકારો સાથે સંગોષ્ઠી વગેરે પ્રવૃત્તિઓ રસપ્રદ રહેતી.૧૯૭૩-૭૪ માં બુધસભ જેવી 'સુ-રંગ'નામની સાપ્તાહિક બેઠક લેંગ લાઈબ્રેરીમાં કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના અધ્યક્ષપદે શરૂ થઇ.પીઢ નામી અનામી ,લવરમૂછિયા યુવા કવિઓ આવતા , કવિતા પઠન કરતા .કેટલાક કવિઓની રજૂઆત માંથી કાવ્યપઠન કરતા અને કવિ પદની દીક્ષા લેતા .'કવિતા કાનની કળા'એવું અનુભવાતું.શબ્દનું વજન ,ઉચ્ચારશુદ્ધિ અને લય-છંદ પરત્વે વધુ સભાન્થાવાની આવશ્યકતા જણાતી .
૧૯૭૫-૭૬ અને તે પછીના સમય ગાળામાં ગીતો,ગઝલો અને અછાંદસ સર્જન થતું રહ્યું.થોડીક વધુ કાવ્ય્સમજ અને કવિ કર્મની સભાનતા સાથે અન્ય સર્જકોના પ્રભાવમાંથી સ્વકીય મુદ્રા ઉપસાવવા નિજી ભાષા શૈલી નીપજાવવા મથામણ થઇ ચૂકી હતી.'શબ્દ'ને વફાદાર રહેવાની નેમ સાથે .આ બધાં પડકારો ગણી શકાય.સુ.જો. જેવા આધુનિકઅને ર.પા. જેવા ભાષા ઉપર સોળે કળાએ ખીલેલા સર્જકનો સર્જન દ્વારા સામનો કરવો એ દરેક નવોદિત માટે પડકાર જ હતો.
વર્ષ ૧૯૭૫-૭૬ માં એક ગીત સર્જાયું.તેનો એક આંતરો અવતરિત કરુ 'હો હો કરતુ લાગણીઓનું ટોળું નીકળે કાંઠે
આભ લટકતું ઊંધે માથે બોલો કોના માટે ?
મોજાંઓ પણ મીંઢા લાગે મીંઢી લાગે જાત
દરિયા જેવું કૈ હવે નહિ દરિયો ઝંઝાવાત '
આ ગીત ૧૯૭૬માં કલકત્તાથી પ્રસિદ્ધ થાતા વાર્ષિક ચયન 'કાવ્ય્કેસુડા 'માં નિરંજન ભગતના સંપાદન તળે પ્રસિદ્ધ થયું.સાહિત્યિક મૂલ્યની પ્રથમ સ્વીકૃતિ મળી .સર્જાતા ગીતો ,ગઝલો અને અછાંદસ કૃતિઓ શિષ્ટ સામયિકો જેવા કે કવિતા ,કવિલોક,શબ્દસૃષ્ટિ ,પરબ,અખંડઆનંદ ,તાદર્થ્ય અને અન્ય લઘુ સામયિકોમાં પ્રગટતી રહેતી.વાર્ષિક સંપાદનોમાં પણ કૃતિઓ સંચિત થતી રહી.રાજકોટમાં વિદ્વાન સાહિત્યકારોના વ્યાખ્યાનો યોજાતા રહેતા .ઉમાશંકર જોષી ,સુરેશ જોષી,લાભશંકર ઠાકર ,રઘુવીર ચૌધરી ,ભોળાભાઈ પટેલ અને સિતાંશુ યશશ્ચન્દ્ર વગેર આવતા .આ બધાં સર્જકોદ્વારા મારી સાહિત્યિક સમજ વધુ વિકસતી રહી.જે સર્જનને ઉપકારક રહી .ગુજરાત સાહિત્ય અકાદમી ની આર્થિક સહાય યોજના તળે ૧૯૮૫માં મારો પ્રથમ કાવ્યસંગ્રહ 'તંદ્રા'પ્રકશિત થયો. જેમાં ગીતો,ગઝલો અને અછાંદસ કૃતિઓનો સમાવેશ કર્યો છે .'તંદ્રા' ના પ્રકાશન સમયે મારી સર્જનપ્રક્રિયા વિશેની ટૂંકી કેફિયત આપી છે .જે આંશિક રીતે અહિ અવતરિત કરું છું .જે લેખના ભાગ રૂપે છે ....(ક્રમશ:)ભાગ -૪ હવે પછી
No comments:
Post a Comment