કવિતા અને હું ***મહેન્દ્ર જોષી
(શબ્દસૃષ્ટિ વર્ષ ૨૦૧૧ નવેમ્બેર વિશેષાંક માં પ્રગટ થયેલ કવિ કેફિયત )
' શૂન્યમાંથી શબ્દ સર્જવાની અકળ મથામણ '
મારી પહેલી અને છેલ્લી અપ્રગટ કવિતા વચ્ચે ત્રણ સાડા ત્રણ દાયકાનો ક્યાંક લીલો તો ક્યાંક સૂકો પટ પથરાયેલો પડ્યો છે .આ અંતરાલમાં 'શબ્દ' સાથેની મથામણને અંતે શું નીપજ્યું ? કેવું નીપજ્યું ? સાનુકૂળ કે પ્રતિકૂળ વાતાવરણમાં શબ્દ ટકી શક્યો કે હાથથી સારી ગયો ? સજીવ રહ્યો કે નિર્જીવ ?આ બધા પ્રશ્નોમાં મારી સર્જનપ્રક્રિયાના ગૂઢ સંકેતો પડ્યા છે .સ્મૃતિ અને શ્રુતિને આધારે પ્રથમ તો હું મારી શૈશવસૃષ્ટિના પોષક અને પ્રેરક સ્રોતોને અંકે કરી ઉકેલવા ચાહું છું .
મારા પિતાજી પ્રાથમિક શાળામાં આચાર્ય .આઝાદી પછીનો બીજો દાયકો.મધ્યમવર્ગીય પરિવાર .ગાંધીજી પ્રેરિત આદર્શોનું ઘરમાં વાતાવરણ.વેદ, ઉપનિષદ ,ગીતા ,રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું ઘરમાં શ્રવણ અને પઠન.દેવ-દેવીઓના સંસ્કૃતમાં સ્તવન.પિતાજીની મધ્ય સૌરાષ્ટ્રના તાલુકાના જુદા જુદા ગામોમાં બદલી થતી રહેતી.બધા જ ગામોને હતી જીવતી નદીઓ ,રેતાળ પટ ,શિવમંદિરો અને વૃક્ષોનો ઘટાટોપ .બધાં જ ગામોમાં લગભગ એકરૂપ સૌન્દર્યલોક . એ જ મારું ક્રીડા ક્ષેત્ર .એ જ મારું ભેરુઓ સાથેનું આશ્રયસ્થાન .ખેડુપુત્રો મારા સહાધ્યાયી અને ભેરુઓ.રજાના દિવસોમાં તેમની સાથે વાડી-ખેતરે જવાનું .રંગ,રૂપ રસ અને સ્વાદની મજા માણવાની, ભરીભરી અજાયબ રોમાંચક સૃષ્ટિ!મારા અચેતન મનમાં ભાવી સર્જનના કોઈ સંકેતો સંચિત થાતા હશે તેની ત્યારે તો ક્યાં કૈ ખબર હતી ?ખબર માત્ર એટલી જ રહેતી 'બહુ મજા આવે છે '.ગાઢ ઇન્દ્રીયસંતર્પક અનુભવોની અસર આજે પણ અનુભવાય છે .
શાળામાં પણ , તેલ,
'ખારા ખારા ઊસ જેવા આછા આછાં તેલ
પોણી દુનિયા ઉપર એના પાણી રેલમછેલ
આ અને આવી બીજી કેટલીય પાઠ્યપુસ્તકમાં આવતી કવિતાઓની પંક્તિઓ શિક્ષકની હાજરીમાં ધીમેથી પછી રિસેસમાં ઘાંટા પાડીને લયબદ્ધ બોલવાની સામુહિક મજા લેતા ....એ કવિતા દરિયા વિશેની છે એ જાણી મારા ચિત્તમાં દરિયાનું દ્રશ્ય્કાલ્પણ દ્રઢ થઇ ગયું. આજે ય મારી કવિતામાં એ કલ્પન દીવા જેવું ટમટમે છે ..એ મારી પ્રથમ શબ્દપ્રીતિ.
બહુધા ગુજરાતી અને ભારતીય્ભાષાના સર્જકોના જીવનમાં બનતા શૈશવના ઇન્દ્રીયસંતર્પક અનુભવોના સર્જક્જીવનમાં એકસરખું ઉદ્દીપન પૂરું પાડે છે . હું તેમાં અપવાદરૂપ નથી એવું લાગે છે .
માં,દાદીમા અને ફૈબા ના કંઠેથી રેલાતા હાલર્દાઓનો મધુર શબ્દધ્વનિ ,રાતના ચોરના ચોકમાં પેટ્રોમેક્શના અજવાળે રમતા તરગાળાઓનાલય લહેકાભર્યા નાટકના હાસ્ય-કરુણ મિશ્ર સાંગીતિક સંવાદો , અષાઢમાં નાની બાળાઓના મોળાવ્રતો અને કન્યાઓના જયાપાર્વતીના જાગરણ નિમિત્તે ઠઠ્ઠા -મશ્કરી ના લોકગીતોમાં આવતો શબ્દ હિલ્લોળ કાનને બહુ ગમતો .રામજી મંદિરે આરતી પછી ગવાતી ચોપાઈઓ અને સાખીઓ કર્ણ મંજુલ લાગતી .હું શબ્દ પકડવા ઘણું કરતો પણ વ્યર્થ.રાતે ફળિયામાં ખાટલીમાં સૂતા સૂતા મોડી રાતે દૂર ક્યાંક આવતા શબ્દો , કાને પડતા ...કવિતા ,જોડકણા ,હાલરડા , લોકગીતો અને ભજનોમાં આવતા શબ્દો પ્રતિ મારો એ ખેંચાણભર્યો પડાવ ...મારી શબ્દ્પ્રીતિ વયાનુંસાર ઘેલછામાં પરિણમ્વાનો આરંભ થઇ ચૂકયો હતો .
(ક્રમશ:)
(શબ્દસૃષ્ટિ વર્ષ ૨૦૧૧ નવેમ્બેર વિશેષાંક માં પ્રગટ થયેલ કવિ કેફિયત )
' શૂન્યમાંથી શબ્દ સર્જવાની અકળ મથામણ '
મારી પહેલી અને છેલ્લી અપ્રગટ કવિતા વચ્ચે ત્રણ સાડા ત્રણ દાયકાનો ક્યાંક લીલો તો ક્યાંક સૂકો પટ પથરાયેલો પડ્યો છે .આ અંતરાલમાં 'શબ્દ' સાથેની મથામણને અંતે શું નીપજ્યું ? કેવું નીપજ્યું ? સાનુકૂળ કે પ્રતિકૂળ વાતાવરણમાં શબ્દ ટકી શક્યો કે હાથથી સારી ગયો ? સજીવ રહ્યો કે નિર્જીવ ?આ બધા પ્રશ્નોમાં મારી સર્જનપ્રક્રિયાના ગૂઢ સંકેતો પડ્યા છે .સ્મૃતિ અને શ્રુતિને આધારે પ્રથમ તો હું મારી શૈશવસૃષ્ટિના પોષક અને પ્રેરક સ્રોતોને અંકે કરી ઉકેલવા ચાહું છું .
મારા પિતાજી પ્રાથમિક શાળામાં આચાર્ય .આઝાદી પછીનો બીજો દાયકો.મધ્યમવર્ગીય પરિવાર .ગાંધીજી પ્રેરિત આદર્શોનું ઘરમાં વાતાવરણ.વેદ, ઉપનિષદ ,ગીતા ,રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું ઘરમાં શ્રવણ અને પઠન.દેવ-દેવીઓના સંસ્કૃતમાં સ્તવન.પિતાજીની મધ્ય સૌરાષ્ટ્રના તાલુકાના જુદા જુદા ગામોમાં બદલી થતી રહેતી.બધા જ ગામોને હતી જીવતી નદીઓ ,રેતાળ પટ ,શિવમંદિરો અને વૃક્ષોનો ઘટાટોપ .બધાં જ ગામોમાં લગભગ એકરૂપ સૌન્દર્યલોક . એ જ મારું ક્રીડા ક્ષેત્ર .એ જ મારું ભેરુઓ સાથેનું આશ્રયસ્થાન .ખેડુપુત્રો મારા સહાધ્યાયી અને ભેરુઓ.રજાના દિવસોમાં તેમની સાથે વાડી-ખેતરે જવાનું .રંગ,રૂપ રસ અને સ્વાદની મજા માણવાની, ભરીભરી અજાયબ રોમાંચક સૃષ્ટિ!મારા અચેતન મનમાં ભાવી સર્જનના કોઈ સંકેતો સંચિત થાતા હશે તેની ત્યારે તો ક્યાં કૈ ખબર હતી ?ખબર માત્ર એટલી જ રહેતી 'બહુ મજા આવે છે '.ગાઢ ઇન્દ્રીયસંતર્પક અનુભવોની અસર આજે પણ અનુભવાય છે .
શાળામાં પણ , તેલ,
'ખારા ખારા ઊસ જેવા આછા આછાં તેલ
પોણી દુનિયા ઉપર એના પાણી રેલમછેલ
આ અને આવી બીજી કેટલીય પાઠ્યપુસ્તકમાં આવતી કવિતાઓની પંક્તિઓ શિક્ષકની હાજરીમાં ધીમેથી પછી રિસેસમાં ઘાંટા પાડીને લયબદ્ધ બોલવાની સામુહિક મજા લેતા ....એ કવિતા દરિયા વિશેની છે એ જાણી મારા ચિત્તમાં દરિયાનું દ્રશ્ય્કાલ્પણ દ્રઢ થઇ ગયું. આજે ય મારી કવિતામાં એ કલ્પન દીવા જેવું ટમટમે છે ..એ મારી પ્રથમ શબ્દપ્રીતિ.
બહુધા ગુજરાતી અને ભારતીય્ભાષાના સર્જકોના જીવનમાં બનતા શૈશવના ઇન્દ્રીયસંતર્પક અનુભવોના સર્જક્જીવનમાં એકસરખું ઉદ્દીપન પૂરું પાડે છે . હું તેમાં અપવાદરૂપ નથી એવું લાગે છે .
માં,દાદીમા અને ફૈબા ના કંઠેથી રેલાતા હાલર્દાઓનો મધુર શબ્દધ્વનિ ,રાતના ચોરના ચોકમાં પેટ્રોમેક્શના અજવાળે રમતા તરગાળાઓનાલય લહેકાભર્યા નાટકના હાસ્ય-કરુણ મિશ્ર સાંગીતિક સંવાદો , અષાઢમાં નાની બાળાઓના મોળાવ્રતો અને કન્યાઓના જયાપાર્વતીના જાગરણ નિમિત્તે ઠઠ્ઠા -મશ્કરી ના લોકગીતોમાં આવતો શબ્દ હિલ્લોળ કાનને બહુ ગમતો .રામજી મંદિરે આરતી પછી ગવાતી ચોપાઈઓ અને સાખીઓ કર્ણ મંજુલ લાગતી .હું શબ્દ પકડવા ઘણું કરતો પણ વ્યર્થ.રાતે ફળિયામાં ખાટલીમાં સૂતા સૂતા મોડી રાતે દૂર ક્યાંક આવતા શબ્દો , કાને પડતા ...કવિતા ,જોડકણા ,હાલરડા , લોકગીતો અને ભજનોમાં આવતા શબ્દો પ્રતિ મારો એ ખેંચાણભર્યો પડાવ ...મારી શબ્દ્પ્રીતિ વયાનુંસાર ઘેલછામાં પરિણમ્વાનો આરંભ થઇ ચૂકયો હતો .
(ક્રમશ:)
No comments:
Post a Comment